Saturday, August 27, 2016

Krishna arjun

.               🌅

               મહાભારતના એક પ્રસંગનું
               કોઈકે અદભૂત દર્શન કરાવ્યું છે.

               મત્સ્યવેધની આગલી રાતે
               કૃષ્ણ અને અર્જુન સંવાદ કરે છે.

               કૃષ્ણ અર્જુનને અત્યંત
               ધીરજપૂર્વક  સમજાવે છે :

               ત્રાજવા પર સંભાળીને ચઢજે,
               પગ બરાબર સંતુલીત રાખજે,
               ધ્યાન માછલીની આંખ પર જ
               કેન્દ્રિત રાખજે, મનમાં સંપૂર્ણ
               એકાગ્રતા રાખજે . . . વગેરે વગેરે.

               અર્જુન પૂછે છે :
               બધું મારે જ કરવાનું ?
               તો તમે શું કરશો ?

               જવાબ મળે છે :
               જે તારાથી ન થાય એ હું કરીશ.

               એમ ?
               એવું શું છે જે મારાથી નહીં થાય ?
               એવું તે શું કરશો ?

               ' હું પાણીને સ્થિર રાખીશ.'

               ____________________________ 🌿
                                                              
       શ્રી કૃષ્ણ જન્મોત્સવ અવસરે
                    શુભકામના.

Saturday, August 13, 2016

सचा विचार

🌹👌🌹👌🌹👌🌹👌🌹

यदि सफलता एक सुन्दर पुष्प है  तो विनम्रता उसकी सुगन्ध।
जिंदगी में जो चाहो हासिल कर लो, बस इतना ख्याल रखना कि, आपकी मंजिल का रास्ता, लोगो के दिलों को तोड़ता हुआ न गुजरे
       "अच्छी सोच"
          "अच्छा विचार"
               "अच्छी भावना"
मन को हल्का करता है! 
🌹👌🌹👌🌹👌🌹👌🌹
💐💐🌹🌹 🌹🌹💐💐.

પાળીયા નો પડકાર

" પાળીયા નો પડકાર "

તમે કયારેક બસ માં ટ્રેન મા કે કાર માં ગામડે થી પસાર થતા હોવ..અને ગામ ના પાદર માં આવા પાળિયા જુઓ તો દૂર થી પણ એક વાર એને નમસ્કાર કરજો કારણ એ અમસ્તા ત્યાં નથી ખોડવા મા આવ્યા એની પાછળ ભવ્ય ભૂતકાળ છે..વતન માટે,પોતાના ગામ ની ગાયો માટે..અને આ ઘાસ ખાય એ જ ગાયો નહીં ગામની બેન દીકરી (ગવતરી)ની ઇજ્જત માટે,અને સ્વાભિમાન ની રક્ષા માટે.શહિદ થયેલા એ યુવાનો ના પ્રતિક રૂપી પાળિયા છે...
આવા પાળિયા ને જોઇ ને એક કવિ એને પ્રશ્ન પૂછે ..
સૌરાષ્ટ્ર ના ચારણકવિ શ્રી'' દાદ'' લખે છે..
આજ પૂછુ તને પાળિયા રે...
તારા દલડા કેરી વાત રે...
પાદર માં કેમ ખોડાણાં....?
સિંદૂરે કેમ રંગાણા...?
અને કવિ એ મુક પાળિયા માં વાચા મુકે છે...
પાળિયો જવાબ આપે છે...
વાર ચઢી જે દિ ગામ'મા રે..
અને બુંબીયા વાગ્યા ઢોલ રે..જે દિ બુબીંયા વાગ્યા ઢોલ...
ખાંડા ના ખેલ ખેલાણા...
તેથી અમે આંઈ. ખોડાણાં...
(હે....કવિ, ગામ ઉપર જ્યારે આફત આવી..
ઘરે ઘરે થી આહિરો નિકળ્યા અઢાર વર્ષની મારી ઉંમર મારો બાપ પણ ધીંગાણામાં ખપી ગયેલો ઘર માં હું એક જ મરદ હતો પણ ગામ ઉપર સંકટ આવે અને હું જો ઘર મા બેસી રહુ તો આહિરાણી નુ ધાવણ લાજે..એટલે મારી માં એ કીધું બેટા....જાવ...મારા ધાવણ ને ઉજળુ કરજે..અને હું ધીંગાણામાં આવ્યો અને અહીં શહિદ થયો..ત્યાર થી અહીં ખોડાણો છું..
પણ કરૂણતા ની ચરમ સીમા તો ત્યારે આવે છે જ્યારે કવિ બીજો સવાલ કરે છે..
કે સિંદૂરે કેમ રંગાયા...?
યુવાન નો પાળિયો બોલે છે..
હે કવિ..જ્યારે મે રણમેદાન તરફ ડગ દિધા ત્યારે નવી પરણીને આવેલી આહિરાણી એ મારા ભાલે કુમકુમ તિલક કર્યું અને કીધુ
''મારજો કે મરજો પિયુ ન દેજો પિઠ લગાર..
નહીંતર સાહેલી. મેણા મારશે તું તો કાયર કેરી નાર...
એ કોડ ભરેલી જેનિ હાથ ની મહેંદી પણ હજી સુકાણી નહોતી એના સેંથા નૂ જે સિંદૂર ભૂંસાયૂ ને એનો આ રંગ છે..
હવે ઝાઝું મને પૂંછમા રે...
કવિ કરવા દે વિશ્રામ રે....કરવા દે વિશ્રામ..
સેંથી ના સિંદૂર ભૂંસાયા...
તે થી અમે આંઈ રંગાણા..!!

જય મુરલીધર